
શેખ હસીનાને ફાંસીની સજા: બાંગ્લાદેશમાં મોટો ચુકાદો
શેખ હસીનાને ફાંસી અને ઉમરકેદની સજા: સમગ્ર વિગતો
ઢાકા: બાંગ્લાદેશની રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ચુકાદો સામે આવ્યો છે. દેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 2024ના વિદ્યાર્થી આંદોલનની પૃષ્ઠભૂમિમાં થયેલી હત્યાઓ માટે જવાબદાર ગણાવી છે. પાંચમાંથી બે કેસોમાં તેમને મોતની સજા અને બાકીના કેસોમાં ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે.
ટ્રિબ્યુનલના મત મુજબ, આંદોલન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને હત્યાઓ પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હસીના જ હતી. બીજા આરોપી અને પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાનને 12 લોકોની હત્યામાં દોષી ઠેરવી ફાંસીની સજા આપી છે. ત્રીજા આરોપી અને પૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ-મમૂનને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. મમૂન પહેલાંથી જ હિરાસતમાં છે અને તેઓ સરકારે ગવાહ તરીકે સહકાર આપી ચૂક્યા છે.
કોર્ટના આદેશ અનુસાર હસીના અને અસદુજ્જમાન બંનેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. ચુકાદા બાદ બાંગ્લાદેશ સરકારે ભારત સરકારને પ્રત્યાર્પણ સંધિનો हवાળો આપતા અપીલ કરી છે કે હસીનાને તેમની કસ્ટડીમાં સોંપવામાં આવે.
વિશેષ નોંધનીય છે કે હસીનાને સજા સંભળાવનાર આ ટ્રિબ્યુનલની સ્થાપના 2010માં તેમની જ સરકારે કરી હતી. આ ટ્રિબ્યુનલ 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન થયેલા વોર ક્રાઇમ્સ અને નરસંહારો જેવા ગુનાઓની તપાસ માટે રચાયો હતો, જોકે કાયદો 1973માં જ પાસ થયો હતો.
આ ચુકાદા પછી બાંગ્લાદેશ અને દક્ષિણ એશિયાની રાજકીય પરિસ્થિતિમાં નવા પ્રશ્નો અને ચર્ચાઓ ઊભી થઈ છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
