રક્ષિત ચૌરસિયાને જામીન: વડોદરા હિટ એન્ડ રન કેસમાં મોટો વળાંક

રક્ષિત ચૌરસિયાને જામીન: વડોદરા હિટ એન્ડ રન કેસમાં મોટો વળાંક

વડોદરા હિટ એન્ડ રન: આરોપી રક્ષિત ચૌરસિયાને ૯ મહિના બાદ જામીન

વડોદરાના રસ્તાઓને લોહીથી રંગનાર રક્ષિત ચૌરસિયાને ૯ મહિનાના ‘જેલ-વાસ’ બાદ ગુજરાત હાઈકોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હોળીની તે કાળી રાત્રિ કોઈ ભૂલી શક્યું નથી, જ્યારે આ નશામાં ધૂત નબીરાએ પોતાની કારને મોતના તાંડવમાં ફેરવી દીધી હતી. ૮ નિર્દોષ લોકો જેઓ તહેવારની ઉજવણીમાં હતા, તેમને કચડી નાખનાર રક્ષિત સામેના પુરાવાઓ શું આટલા નબળા હતા કે તેને જામીન મળી ગયા?

આ કિસ્સો ગુજરાતની કથળેલી કાયદો અને વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છે. એક તરફ રાજ્યમાં દારૂબંધીના નામે કડક કાયદાના નાટકો થાય છે, અને બીજી તરફ રક્ષિત જેવા નબીરાઓ દારૂ પીને લોકોના જીવ લે છે. જે પરિવારે પોતાનો દીકરો કે પિતા ગુમાવ્યો છે, તેમના માટે આ જામીન લોકશાહીના પતન સમાન છે. શું શાસક પક્ષ આવા નબીરાઓને રક્ષણ આપી રહ્યો છે? કે પછી સરકારી વકીલોએ કોર્ટમાં કેસને એટલો ઢીલો રાખ્યો કે આરોપીને છટકબારી મળી ગઈ?

૯ મહિનામાં જામીન મળી જવા એ ન્યાયના ઈતિહાસમાં એક કાળો અધ્યાય છે. આ ઘટના ગર્ભિત રીતે એવું સૂચવે છે કે જો તમારી પાસે મોંઘી ગાડી અને વગદાર ઓળખાણ હોય, તો તમે કોઈને પણ ઉડાવી શકો છો. લોકોનો આક્રોશ ચરમસીમાએ છે કારણ કે અનેક ઇજાગ્રસ્તો હજુ પણ પથારીવશ છે, જેમનું જીવન આ નબીરાએ બરબાદ કરી નાખ્યું. શું આ જામીન બાદ રક્ષિત ફરી નશો કરીને ગાડી નહીં ચલાવે તેની ગેરંટી કોણ આપશે? સરકાર અને તંત્રની આ નિષ્ફળતા છે કે તેઓ એક સાચા ગુનેગારને કડક સજા અપાવી શક્યા નથી. આ દેશમાં ન્યાય માત્ર વગદારોની હવેલીઓમાં ગુલામ બનીને રહી ગયો હોય તેમ લાગે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )